GUJARAT

AMCની બેદરકારીથી માછલીઓના મોત: પરિમલ ગાર્ડનમાં અનેક માછલીઓના મૃત્યુ, તળાવની આસપાસ ચાલી પણ ન શકાય તેવી દુર્ગંધ મારે છે, વીડિયો વાઇરલ થયા – Ahmedabad News


શહેરના સૌથી જાણીતા પરિમલ ગાર્ડનમાં આવેલા તળાવમાં અનેક માછલીઓના મૃત્યુ થયા છે. જેના કારણે તળાવની આસપાસ ખૂબ જ દુર્ગંધ ફેલાય છે. તળાવમાં માછલીઓ મરેલી હોવા અંગેના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા છે. છેલ્લા બે દિવસથી માછલીઓના મૃત્યુ થયા છે. પર

.

તળાવમાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી
વર્ષ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું સૌથી શ્રેષ્ઠ ગાર્ડન તરીકે પરિમલ ગાર્ડનને રૂ. 12 કરોડના ખર્ચે રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું હતું. પરિમલ ગાર્ડનમાં તળાવ અને બે ફૂવારા મૂકેલા છે. જો કે, તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે માછલીઓના મૃત્યુ થયા છે. તળાવમાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. માછલીઓના મૃત્યુ થવાના કારણે તળાવ પાસેથી ચાલતા લોકોને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે. એટલી દુર્ગંધ મારે છે કે ત્યાં પાંચ મિનિટ પણ ઉભા રહી શકાય નહીં.

લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
સોશિયલ મીડિયામાં પરિમલ ગાર્ડનમાં માછલીઓના મૃત્યુ થયા હોવાના વીડિયો વાઇરલ થયા છે. બહારના ભાગે પણ કેટલીક માછલીઓ પડેલી જોવા મળી હતી. જેને પક્ષીઓ ખાતાં હોય તેવા વીડિયો જોવા મળ્યાં છે. તળાવમાં બહારના ભાગે પણ કેટલીક માછલીઓ પડેલી હતી. લીલા પાણીમાં માછલીઓ મરેલી હોવાના કારણે તળાવનું પાણી પણ ખરાબ થઈ ગયું છે. જેના કારણે ખરાબ દુર્ગંધ મારે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ ગાર્ડનમાં ધ્યાન આપતા નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાત્કાલિક સૂચના આપી દેવાઇ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિમલ ગાર્ડનમાં માછલીઓના મોત થયા હોવાની વાત સાચી છે. માછલીઓ ક્યાં કારણોસર મૃત્યુ પામી છે તેની માહિતી મળી નથી. આ બાબતે તાત્કાલિક સૂચના આપી કાર્યવાહી કરવા જાણ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!