GUJARAT

જામનગરમાં બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી: વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું, સારવાર માટે જીજી હોસ્પિટલમાં હોસ્પિટલમાં ખસેડાયા – Jamnagar News

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા નંદલાલભાઈ સંઘાણી નામના 43 વર્ષના બિલ્ડર યુવાને ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકા પાસે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

.

ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ઝેરી દવા પી લેતા બિલ્ડર નંદલાલભાઈ સંઘાણીના ભાઈ તથા અન્ય પરિવારજનો સારવાર અર્થે જામનગર લઈ આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું, કે પોતાના કામના વ્યવસાય અર્થે અન્ય લોકો પાસેથી પૈસા વ્યાજ લીધા હતા. તેને પણ કેટલાક લોકો પાસેથી પૈસા લેવાના નીકળે છે પરંતુ, તે લોકો આપતા નથી. જ્યારે 8 થી 10 જેટલા લોકો આશરે અઢી કરોડ જેટલી રકમની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આખરે આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જે બનાવની જાણ થતાં ધ્રોલની પોલીસ ટુકડી જામનગર પહોંચી છે, અને સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!