GUJARAT

સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર: પરિવારમાં દાદા એ દાદા જ રહે, હેલિકોપ્ટર લઈને આવે તોપણ દીકરો રહેવાનો, દેવી-દેવતાની ટિપ્પણીમાં લીગલ કાર્યવાહી થશેઃ ચાપરડાના મહંત – Rajkot News


રાજકોટના ત્રંબામાં 11મી જૂને સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ નામનું મહાસંમેલન યોજાવાનું છે. એને લઈ આજે ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુની પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે પરિવારમાં ચાર-પાંચ લોકો રહેતા હોય એમાં દાદા હો

.

પુસ્તકોમાં દેવી-દેવતાઓને નીચાં ચિતરવામાં આવ્યાં છે
મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે. કેટલાક સંપ્રદાયનાં પુસ્તકોમાં દેવી-દેવતાઓને નીચા ચિતરવામાં આવે છે. ત્યારે એની સામે પગલાં લેવાનો નિર્ણય કરવામા આવશે. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ સનાતન દેવી-દેવતા સનાતન ધર્મના શાસ્ત્રોના વિષયમાં કોઈપણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે. એના પર કાયદાકીય પગલાં ભરવામાં આવશે. ધર્મપરિવર્તનના વિષયમાં આ ટ્રસ્ટ કાર્યરત થશે. ધર્મને લગતા કોઈપણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મ સત્તા મળીને સમસ્યાનું નિવારણ કરશે. સનાતન અને હિન્દુત્વના કાર્ય ને લઇ આ ટ્રસ્ટ કાર્ય કરશે.

આવતીકાલે ત્રંબામાં યોજાનારા સંત સંમેલનને લઈ મુક્તાનંદ બાપુએ પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી.

તેના સંતોએ જ પગલાં લેવા જોઈએ
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આવનારા સમયમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા, જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં સ્થાપના કરવામાં આવશે. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, સંસ્કૃત ભાષા અને સંસ્કૃત પાઠશાળાનો ઉત્કર્ષ કરવો. ધાર્મિક સમસ્યાનો સાથે મળીને હલ કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદના મુદ્દે મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે આવતીકાલે સનાતન ધર્મ સમિતિનું મહાસંમેલન મળશે. આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકોમાંથી દેવી-દેવતાનાં લખાણો દૂર કરવાની માગ કરવામાં આવશે. સ્વામિનારાયણ ગુરુકુળમાં બનેલી ઘટના અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને એની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારને જવાબદાર ગણાવી
દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષસ્થાને રહેશે. હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષોની ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના દ્વારા અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કરવાનું જણાવ્યું હતું તો TRP ગેમ ઝોન દુર્ઘટનામાં સંચાલકોની સાથે સરકારને જવાબદાર ગણાવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકોમાંથી દેવી-દેવતાઓનાં લખાણો દૂર કરવાની માગ કરવામા આવશે- મુક્તાનંદ બાપુ

સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકોમાંથી દેવી-દેવતાઓનાં લખાણો દૂર કરવાની માગ કરવામા આવશે- મુક્તાનંદ બાપુ

1,500થી 2,000 જેટલા સાધુ-સંતો હાજર રહેશે
જ્યારે રામેશ્વર બાપુ હરિયાણીએ જણાવ્યું હતું કે દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને ત્રંબામાં ભરાડ વિદ્યા મંદિર ખાતે 11મી જૂને સાંજે 4 વાગ્યાથી યોજાનારા સંત સંમેલનમાં મોરારિબાપુ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ, કનીરામ બાપુ, લલિતકિશોરજી મહારાજ, નિર્મળાબા સહિતના સાધુ-સંત સમાજ ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો સહિત 1,500થી 2,000 જેટલા સાધુ-સંતો હાજર રહેશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!