હત્યા કે આત્મહત્યા?: બરવાળા તાલુકાના વૈયા ગામની નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ – Botad News
![હત્યા કે આત્મહત્યા?: બરવાળા તાલુકાના વૈયા ગામની નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ – Botad News હત્યા કે આત્મહત્યા?: બરવાળા તાલુકાના વૈયા ગામની નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ – Botad News](https://i3.wp.com/images.bhaskarassets.com/web2images/960/2024/06/11/6f760e49-0419-4aa2-8380-d6173ee10f2d_1718076208943.jpg?w=780&resize=780,470&ssl=1)
બરવાળા તાલુકાના વૈયા ગામની નદી કાંઠેથી ગઈકાલે સાંજના સમયે શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં બરવાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતદેહ કોનો છે, મૃતક ક્યા ગામનો છે તેમજ હત્યા ક
.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વૈયા ગામે આવેલી નદિના કાંઠે ગઈકાલે સાંજના સમયે કોઈ મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થાનિકોએ બરવાળા પોલીસને જાણ કરતા બરવાળા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ સરવૈયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બરવાળા પોલીસે પ્રથમ મૃતદેહને પીએમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડ્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/11/162dcc1a-6af5-4f9a-bd09-d9e6cb07ab94_1718076208943.jpg)
વૈયા ગામની નદી કાંઠેથી મળેલ મૃતદેહ અંદાજે 40 વર્ષની આસપાસના યુવાનનો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ યુવાન કોણ છે, કયા ગામનો યુવાન છે તે ઓળખ થઈ નથી. તેમજ આ યુવાનની હત્યા કરાઈ છે કે પછી આત્મહત્યા કરી છે તે દિશામાં બરવાળા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ હત્યા છે કે પછી અન્ય કારણ તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/11/c1b1e03d-5d17-4691-95b0-928fa2488f9c_1718076208945.jpg)