GUJARAT

વ્યાજખોરી સામે ફરીયાદ: ભચાઉમાં ઊંચા વ્યાજે પૈસા લેનાર ધંધાર્થીને વ્યાજખોરોએ ઘરે જઈ માર માર્યો, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી – Kutch (Bhuj) News

ભચાઉ તાલુકામાં વ્યાજખોરીની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. નગરમાં જલારામ ફલોર મિલ નામની અનાજ દળવાની ઘંટી ચલાવતા ધંધાર્થીએ માય ગામના શખ્સ પાસેથી રૂ.1.20 લાખ વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણી દરમિયાન બે શખ્સોએ પૈસા વ્યાજ સહિત પરત આપી દેવા જણાવી ઘરે પહોંચી ફરિય

.

ફરિયાદી રવિ અનિલ ઠક્કરે ધંધામાં મંદી આવતા અને બાળકના ઈલાજ માટે માય ગામના હઠુભા વિક્રમસિંહ જાડેજા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા, જેની અવેજીમાં આરોપીએ ભુજ-મુંદરા રોડ પર આવેલા પ્લોટના દસ્તાવેજ ગીરો રાખી લીધા હતા અને બદલામાં ફરિયાદીને કુલ રૂ.1.20 લાખ રોકડ આપ્યા હતા. ફરિયાદીએ રૂા. 10 હજાર ચૂકવી દીધા હતા, પરંતુ આરોપી તેને વ્યાજ માટે વારંવાર ગાળો આપતો હતો. દરમિયાન ગઇકાલે હઠુભા જાડેજા તથા આદિપુરનો સુભાષ વાળંદ ફરિયાદીના ઘરે પહોંચી તેને બહાર બોલાવી પૈસાની માગણી કર્યા બાદ તેને માર માર્યો હતો. બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!