GUJARAT

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત – Gandhinagar News

દહેગામ તાલુકાના લવાડ ગામના એક બાળકને ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતાં તેને ગઈકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ગઈકાલે પણ એક બાળ દર્દીનું મોત થયું હતું. આમ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય

.

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાથી બે બાળકના મોત થયા હતાં. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના ભાટ ખાતેના છાપરા વાસની 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાયરસની ઝપટમાં આવી હતી. તેનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તા.17 મી રોજ સારવાર દરમિયાન મોત થયુ હતું.

તે પછી સેક્ટર-13ના ચાપરામાં રહેતી 10 માસની બાળકી પણ ગઈકાલે શંકાસ્પદ ચાંદીપુરાથી મોતને ભેટી હતી. જો કે તેનો ચાંદીપુરાનો રિપોર્ટ હજુ સુધી પ્રાપ્ત થયો નથી. તે ઉપરાંત દહેગામ તાલુકાના લવાડ ગામમાં એક શ્રમજીવી પરિવારના 9 વર્ષના બાળકને ગઈકાલે ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

જેનું પણ આજે સારવાર દરમ્યાન મોત થયું છે. ઉલ્લેખનીય સેન્ડ ફ્લાય (રેત માખ) કરડવાથી શરીરમાં ચાંદીપુરાના લક્ષણો દેખાવા લાગે છે. બાળકોને સંક્રમિત કરતા ચાંદીપુરા વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. તેના કારણે ગાંધીનગર શહેર, ચાર તાલુકા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના છાપરા, કાચા મકાનો તેમજ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારમાં ફફડાટ ફેલાયો છે. તેમાં એ નાના બાળકો ધરાવતા પરિવારો ભારે ચિંતાની લાગણી અનુભવી રહ્યાં છે. કારણ કે જીરોથી 14 વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!