GUJARAT

લાંબી બિમારી બાદ આર્મી જવાન શહીદ: બોટાદના અળવ ગામના આર્મી જવાનનો જીવનદીપ બુઝાતા શોકની લાગણી, લોકોએ સન્માનભેર અંતિમ વિદાય આપી – Botad News


રાણપુર તાલુકાના અળવ ગામના આર્મી જવાન સંજયભાઈ લાંબી બિમારી બાદ શહીદ થયા હતા. ત્યારે તેમની અંતિમ વિદાય સમયે લોકોએ ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સન્માન કરીને વિદાય આપી હતી.

.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા સંજય સુરેશભાઈ બાવળીયા (ઉં.વ.35) છેલ્લા 11 વર્ષથી આર્મીમા જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કલકત્તા ખાતે આર્મી જવાન તરીકે દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ કાળની ક્રૂરતા થતા સંજયભાઈ એક ગંભીર બીમારીમા સપડાતા દિલ્હી ખાતે છેલ્લા 7 વર્ષથી સારવાર લઈ રહ્યા હતા. આ બિમારી અને સારવારના અંતે આશરે એકાદ મહિનાથી તેમના માદરે વતન અળવ ખાતે પરિવાર પાસે રોકાઈને બોટાદ ખાતે સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન ગઈકાલે રાત્રે હોસ્પિટલમા સંજયભાઈનો જીવનદીપ બુઝાતા દુનિયામાંથી વિદાય લેતા ગામ અને પરિવારમાં ઘેરા શોકનું મોજુ છવાઈ ગયું હતું.

દેશના સિમાડાની સુરક્ષા કરતા એક દેશપ્રેમી જવાનની વિદાયના પગલે લોકોએ એક આર્મી મેનને છાજે તેવા સન્માન સાથે બોટાદથી અળવ ખાતે લઈ જતા ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા વર્ષા કરી સન્માનભેર અંતિમ વિદાય આપી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!