GUJARAT

વરસાદ લાવતી બે સિસ્ટમ નબળી પડી: હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી જ્યારે અંબાલાલ કહે છે- 4 દિવસ ગુજરાતવાસીઓએ બફારો સહન કરવો પડશે – Ahmedabad News


હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટોછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ ગુજરાતવાસીઓને ગરમી અને

.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે, પરંતુ વરસાદ વરસતો નથી. ત્યારે ગઈકાલે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી કરી હતી, એમ છતાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં કયાય પણ વરસાદ વરસ્યો નહોતો. એનું કારણ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદ લાવતી જે સિસ્ટમ છે, એટલે કે અરબ સાગર તરફથી આવતી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડી જતાં વરસાદ વરસ્યો નથી. મહત્ત્વનું છે કે બંગાળની ખાડી પર જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, પૂર્વ ભાગમાં આવેલી બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવતા સુધીમાં નબળી પડી ગઈ હતી, જેને કારણે વરસાદ વરસી રહ્યો નથી.

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આજે (11 જુલાઈ) વરસાદની શક્યતા છે. તદુપરાંત રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આજે વરસાદની શક્યતા બાબતે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફશોર ટ્રફ સર્જાયો છે, જેને કારણે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી શકે છે.

રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે આજે (11 જુલાઈ) રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ ( 12 જુલાઈથી 16 જુલાઈ) માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, જેમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આ પવન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ચાર દિવસ બફારો સહન કરવો પડશેઃ અંબાલાલ
દિવ્ય ભાસ્કર દ્વારા જ્યારે અમદાવાદમાં વરસાદ ન પડવા બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ગુજરાતવાસીઓને હજુ પણ આગામી ચાર દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે. મોન્સૂન ટ્રફ દેશના ઉત્તર ભાગમાં પર્વતીય વિસ્તારમાં સરકી જતાં ગુજરાતમાં વરસાદની રાહ જોવી પડશે, પરંતુ 11થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે.

બે દિવસ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે
હાલમાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, એનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે અરબસાગર પરના ભેજયુક્ત પવનો નબળા પડતાં હાલમાં ગુજરાત પર મેઘમહેર થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત બંગાળની ખાડી પરનાં વાદળો નિષ્ક્રિય થતાં ગુજરાતમાં વરસાદની શક્યતા થોડા દિવસો માટે નહિવત્ પ્રમાણમાં છે. મેઘ વાદળો બંધાતાં ન હોવાથી ગુજરાતમાં હાલ વરસાદ વરસતો નથી, પરંતુ આગામી 17થી 24 જુલાઈ દરમિયાન મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે, કેમ કે તારીખ 14 અને 15 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ બાદ 24 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!