GUJARAT

જામનગર કોંગ્રેસની રજૂઆત: કહ્યું- ‘રણમલ તળાવના રી-ડેવલોપમેન્ટના નામે તળાવને બૂરી વિકાસને બદલે વિનાશ કરવામાં આવી રહ્યો છે’ – Jamnagar News


જામનગરમાં આવેલા રણમલ તળાવ ફ્રેસ 2 અને ફ્રેસ 3 નું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ લાંબા સમયથી આ કામગીરીમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કામગીરીનો વિરોઘ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા તળાવના બ્યુટીફીકેશન 1 અને વિકાસન

.

કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે કે, રણમલ તળાવના -ભાગ-2, 7 માં 2 કિલોમીટર ના સાયકલીંગ ટ્રેક અને વોર્ડિંગ ટ્રેક સહિતના 30 કરોડ ના વિકાસ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ ઊંડુ ઉતારવા સાથે 10 ફૂટ ઉચું અને 20 ફૂટ પહોળો 2 કિલોમીટરની ત્રીજીયાનો પાળો બનાવવાની કામગીરી કરવાની બદલે બહારથી માટી લાવીને છેલ્લા 1માસમાં ઠાલવી દેવાની પ્રવૃતિથી બ્રાહમણીય અને સુંદર દેખાતું તળાવને બુરીને વિકાસ કરવાની જગ્યાએ વિનાસ કરી રહી છે. જે બંધ નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વધુમાં કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર મહાપાલિકા દ્વારા હાલ લાખોટા તળાવના પાછળના ભાગમાં બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે. સાયકલ ટ્રેક વગેરે બનાવવામાં આવી રહ્યા છે જેથી તળાવની બુરવામાં આવી રહ્યું છે. આ તળાવ બુરાતા વિકાસ નહીં પરંતુ વિનામા સર્જાઈ રહ્યો છે. તળાવના કારણે અર્ધા જામનગરના બોર, કુવા રિચાર્જ થઈ રહ્યા હોય છે ત્યારે આ વિનાશરૂપ બ્યુટીફિકેશન તાત્કાલિક અટકાવવા આજે જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદાની આગેવાનીમાં કોંગ્રેસી કોર્પોરેટરો અને કોંગી અગ્રણીઓએ મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. આ વેળા પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખહી તથા આનંદ ગોહિલ, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, શહેર ઉપપ્રમુખ વલીમામદ બ્લોચ જોડાયા હતાં.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!