GUJARAT

પીઆઈ ખાચરની સતત 7 કલાક પૂછપરછ ચાલી: HCના આકરા વલણ બાદ 102 દિવસે પ્રગટ, આવતીકાલે અને સોમવારે પણ તપાસ માટે બોલાવવામાં આવશે – Ahmedabad News


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બાંકડા પર 32 વર્ષીય મહિલા તબીબ વૈશાલી જોષીએ 14 માર્ચે, 2024ના હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. તે સમયે વૈશાલી જોશી પાસેથી ડાયરી મળી આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના EOWના પીઆઈ બી. કે. ખાચર સાથેના પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્

.

પીઆઈ ખાચરની સતત 7 કલાક પૂછપરછ ચાલી
પૂછપરછ બાદ ACP વાણી દુધાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પીઆઈ ખાચનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું છે. જોકે, હજુ સંપૂર્ણ નિવેદન નોધવામાં સમય લાગશે. આવતીકાલે અને સોમવારે પણ ખાચરને તપાસ માટે બોલાવવામાં આવશે. આરોપીનો મૃતક સાથે 2022થી સબંધ હતો. આરોપીએ પ્રેમ સબંધ અંગે કબૂલાત કરી છે. બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. પીઆઈ ખાચરના મોબાઈલ અને લેપટોપ સહિતના ડિવાઈસીસ કબ્જે કરવામાં આવશે. આ બનાવ બાદ ખાચર પોતાના વતન જતા રહ્યા હતા. વતનથી તેઓ અલગ-અલગ જગ્યાએ નાસી રહ્યા હતા.

કોર્ટે સુનાવણીની શરૂઆતમાં જ કહ્યું કે, આરોપી ક્યાં છે?
14 માર્ચે નોંધાયેલી ફરિયાદ બાદ ફરાર થયેલા પીઆઈ ખાચરે આગોતરા જામીન મેળવવા 16 માર્ચે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજી ઉપર 14 મેના રોજ ચુકાદો આપતા સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા હતા. ત્યારે PI બી. કે. ખાચર આગોતરા જામીન અરજી લઈને હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં 14 જૂનના રોજ હાઈકોર્ટમાં ખાચરની જામીન અરજી મુદ્દે જજ એમ.આર. મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, સુસાઈડ નોટ પ્રમાણે મૃતક આરોપીની પ્રેમમાં હતી. તે મૃતક સાથે વાત નહોતો કરતો, તેથી મૃતક ડિપ્રેશનમાં હતી. કોર્ટે સુનાવણીની શરૂઆતમાં જ આરોપી ક્યાં છે? તેવું તેના વકીલને પૂછ્યું હતું, પરંતુ તેનો કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો.

102 દિવસ બાદ આરોપી ખાચર પોલીસ સમક્ષ હાજર થયો.

મૃતકની મોટી બહેને 14 માર્ચે ફરિયાદ નોંધાવી હતી
ઘટના અંગે કોર્ટને જણાવાયું હતું કે, મૃતક 32 વર્ષીય મહિલા ડોક્ટર વૈશાલી જોષી મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદના સેટેલાઈટમાં PGમાં રહીને નવા વાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. વૈશાલી જોષીએ 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જઈને બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો હતો. તેમજ સુસાઇડ નોટ મૂકી હતી. જેમાં બી. કે. ખાચરનું નામ હતું. મૃતકની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14 માર્ચ, 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી બી. કે. ખાચર સાથે ફરિયાદીની બહેનને પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ પોલીસ અધિકારીએ તોડી નાખતા તે માનસિક તણાવમાં રહેતી હતી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

તપાસ અધિકારીએ આરોપી ખાચરના જવાબો નોંધ્યાં

તપાસ અધિકારીએ આરોપી ખાચરના જવાબો નોંધ્યાં

બંનેની સહમતિથી પ્રેમ સંબંધ બંધાયો હતો: અરજદારના વકીલ
કોર્ટે આરોપી પોલીસ અધિકારીનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, તમે પોલીસ ઓફિસર હોવા છતાં તપાસ અધિકારી સામે હાજર થઈને તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવતા નથી. ફરિયાદ પણ 8 દિવસ મોડી કરવામાં આવી છે. જ્યારે અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આરોપી એક સામાન્ય નાગરિક છે. તે તેના કાનૂની હક વાપરી રહ્યા છે. તે તેની વ્યક્તિગત સ્વતંત્રતા છે. તે પોલીસ ઓફિસર છે, તેને કોઈ ગુનો કર્યો નથી છતાં તેને ધરપકડનો ભય છે. બંનેની સહમતિથી પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ ગુનો નથી, આવા સંબંધો આકસ્મીક અને મરજીથી બંધાતા હોય છે. કોઈની સાથે સબંધ ચાલુ રાખવો કે નહિ તે વ્યક્તિગત સ્વતંત્રતા છે.

કોર્ટે કટાક્ષ કરતા કહ્યું- ‘મોસાળમાં જમણ અને માઁ પીરસનારી’
પોલીસમાં કામ કરતા હોઈએ તો કોઈને સમય આપી ના પણ શકાય, પરંતુ તેથી મૃતકના નકારત્મકતા આવી ગઈ હતી. અરજદારે કોઈ કાવતરું કે ઈરાદાપૂર્વક એવું કૃત્ય નથી કર્યું કે જેથી મૃતકે આપઘાત કરવો પડે. બંને વચ્ચેના વાર્તાલાપમાં ગેપ સર્જાતા આ ઘટના બની છે. અરજદારનો આ પાછળ કોઈ પૂર્વ ઈરાદો નહોતો. અરજદારના વકીલે IPC 306 લાગી હોય તેવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેસો ટાંક્યા હતા. સરકારી વકીલ આરોપીની જામીન અરજી સામે દલીલો કરવા ઊભા થતા કોર્ટે કટાક્ષ કર્યો હતો કે, ગુજરાતીમાં કહેવત છે કે ‘મોસાળમાં જમણ અને માઁ પીરસનારી’.

ઘટના બની ત્યારથી PI ગાયબ છે: સરકારી વકીલ
એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે ચોક્કસ બંને વચ્ચે કંઇ બન્યું હોવું જોઈએ નહિતર મહિલા ડોક્ટર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે ના ગઈ હોત. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ PI સામે ફરિયાદ લેવામાં આવી છે. સરકારી વકીલે કહ્યું હતું કે, ઘટના બની ત્યારથી PI ગાયબ છે. આ તબક્કે કોર્ટમાં ACP હાજર રહ્યા હતા. જો કે, PI કેમ ગાયબ છે તેનું કારણ નિયમો મુજબ પોલીસ વિભાગમાં પણ PIએ જણાવ્યું નહોતું. PI બહાર રહીને તપાસને અસર કરી શકે છે. કોર્ટને જણાવાયું હતું કે, મૃતકનો મોબાઈલ FSLમાં મોકલ્યો છે, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. વિશેરાનો રીપોર્ટ પણ બાકી છે.

આરોપીને પકડવા તપાસ અધિકારીએ શું કર્યું?
સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદારે જે ચુકાદા ટાંક્યા છે તે ચૂકાદાઓ કાનૂની કાર્યવાહી રદ્દ કરવાના છે, જામીન અરજી માટેના નથી. વળી દરેક કેસની હકીકતો અલગ-અલગ હોય છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાં તો અરજદાર એક યુવતી હતી. કોર્ટે કહ્યું હતું કે, ત્રણ મહિનામાં આરોપીને પકડવા તપાસ અધિકારીએ શું કર્યું? લેન્ડ ગ્રેબિંગની મેટરમાં આરોપીઓ સામે વોરંટ નીકળતા હોય છે તો આ કેસમાં કેમ નહિ? પોલીસ તરફથી કોઈ પ્રયત્ન આરોપીને પકડવા કરાયો નથી. કોર્ટે આરોપીને આગોતરા જામીન આપવા નકારાત્મક વલણ દર્શાવ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આરોપી સામાન્ય માણસ નહિ પણ પોલીસ અધિકારી છે. તેમને રક્ષણ આપી શકાય નહિ, ફક્ત તેમની સામે તપાસ થવી જોઈએ. PI તરીકે તપાસ અધિકારી સામે હાજર થવાની તેમની ફરજ છે.

આરોપી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ શકતો હતો: કોર્ટ
અરજદારના વકીલે વધુ દલીલ કરી હતી કે, ફરિયાદીએ મોડી ફરિયાદ કરી છે. ફરિયાદ થતાં જ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકાઈ હતી. આરોપીની પોલીસ કસ્ટડીની કોઈ જરૂર નથી. PI પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા તો તેને ધરપકડનો ડર છે. તેનો સર્વિસ રેકોર્ડ ખરાબ થઈ શકે છે. તેની આબરૂ ખરાબ થઈ શકે છે. જો કે, કોર્ટે કહ્યું હતું કે આરોપી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ શકતો હતો. સરકારી વકીલે જણાવ્યું હતુ કે, CDR મુજબ ઘટનાના દિવસે 2 ફોન બંને વચ્ચે થયા હતા, તેની તપાસ જરૂરી છે.

કોર્ટે ધરપકડથી રાહત આપતા આરોપી હાજર થયો
કોર્ટે આરોપીને તપાસમાં સહકાર આપવાનું જણાવતા આરોપીના વકીલે આવતીકાલે (15 જૂન) આરોપી તપાસ અધિકારી સામે ઉપસ્થિત થશે તેમ જણાવ્યું હતું. જેથી કોર્ટે આરોપીની આગળની સુનાવણી સુધી ધરપકડ નહિ કરવા જેટલી રાહત આપી હતી. જેમાં આજરોજ આરોપી પીઆઈ ખાચર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. તપાસ અધિકારી ACP વાણી દુધાત દ્વારા 3 કલાકથી તેની પૂછપરછ ચાલી રહી છે. હજુ 3 કલાક જેટલી પૂછરપછ ચાલે તેમ છે. હવે આ કેસની આગામી સુનાવણી 18 જૂને થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!