GUJARAT

કડીમાં નીતિન પટેલ Vs ઓલનો વિવાદ વકર્યો: APMCના પૂર્વ ડિરેક્ટરના નીતિન પટેલ પર 20 આક્ષેપ; કોંગ્રેસના અમિત ચાવડાનું ટ્વીટ- ‘ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર’ – Kadi News


કડી APMCના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઈ ઉકળતો ચરૂ સામે આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે કડી APMCના પૂર્વ ડિરેક્ટરે APMCના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે ઊંઝા APMCના ડિરેક્ટરો

.

‘મને ખોટો પાડો અને 1 કરોડ લઈ જાઓ…’
કડી APMCની ચૂંટણી સાત મહિના પૂર્વે યોજાઇ હતી. ત્યારે જૂથબંધી ભારતીય જનતા પાર્ટીમાં હોય તેવું જોવા મળી રહ્યું હતું. ભાજપમાં અંદરખાને ડખા ચાલી રહ્યા હોય તેવું જોવા મળે છે. ત્યારે કડી APMCના પૂર્વ ડિરેક્ટર અને આદુન્દ્રા ગામના રમેશભાઈ બચુભાઈ પટેલે એક પત્ર વાયરલ કરતા રાજકારણ ફરી ગરમાયું હતું. પત્રમાં અનેક મુદ્દાઓ લખ્યા હતા અને પત્ર ત્રણ પન્નાનો હતો. તેમજ આક્ષેપો ખોટા પાડનારને એક કરોડનું ઇનામ પણ રમેશ પટેલે પોતાના પત્રમાં જાહેર કર્યું હતું.

અમિત ચાવડાએ પત્ર ટ્વીટર પર ટ્વીટ કર્યો
રમેશભાઈએ શુક્રવારે એક પત્ર જાહેર કરતા ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદર રાજકારણ ગરમાયું છે અને તેનો લાભ કોંગ્રેસે લઈ લીધો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું. રમેશ પટેલે પત્રમાં ભાજપ પાસે અનેક ખુલાસા માગતું લખાણ લખવામાં આવ્યું હતું. તેમજ આ ખુલાસો કરશે તેને એક કરોડનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ બાબતે રમેશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અંગત વર્તુળો જે સાથે બેસે છે, ને એમના બે-ત્રણ જણા ખુશામત ખોરો છે. એમને એક તાસ સોંપી દેવામાં આવ્યો છે અને આ રમેશનું કંઈ પણ હોય તો બહાર લાવો, તેમજ તેની પોલ બહાર લાવો, એટલે મેં મારી ભૂલ શોધવામાં તેમને મહેનત ન પડે તે માટે મારો પત્ર જ મેં વ્હોટ્સએપની અંદર વાઇરલ કરી દીધો. જ્યારે આ પત્ર વાઇરલ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તેને ટ્વીટ કરતા જાણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો હોય તેવું જોવા મળ્યું હતું.

નીતિનભાઈના ખુશામત ખોરોની જોહુકમી ચાલે છે
અમિતભાઈ ચાવડાએ તમારો પત્ર ટ્વીટ કર્યો છે તે વિશે રમેશભાઈને પુછતા તેઓને આ બાબતે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે, મેં પત્રિકા સ્પેશિયલ મીડિયામાં જાહેર કરેલી છે. અને અમિતભાઈ કોંગ્રેસના નેતા છે તેમને અને મારે કંઈ લેવાદેવા નહીં. રમેશભાઈને પૂછ્યું હતું કે, તમારી હવે આગળની રણનીતિ શું છે એ બાબતે તેમણે જણાવ્યું હતું કે, કડીમાં ભાજપ હોય કે અન્ય સામાજિક સંસ્થાઓ હોય દરેક જગ્યાએ નીતિનભાઈના ખુશામત ખોરોની જોહુકમી ચાલતી જ હોય છે. તેને બંધ કરવા માટે અને ઓછી કરવા માટે આગળની મારી રણનીતિ હશે. ભાજપ V/S ઓલ એટલે શું? આ પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મને આવી અંદરની નીતિન પટેલની રણનીતિ શું છે આવી બધી જો મને ખબર પડતી હોય તો સમજી જાવ તેમની પાછળ બે-ત્રણ જણા જ છે. બાકી ભાજપ એક જ છે, બે ત્રણ સિવાય બધું એક જ છે તેમ જણાવ્યું હતું.

કેમ અમિત ચાવડાએ ટ્વીટમાં ઘોડા શબ્દનો ઉપયોગ કર્યો
રાહુલ ગાંધીએ તાજેતરમાં અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં હવે રેસના ઘોડા રેસમાં દોડશે અને લગ્નના ઘોડા વરઘોડામાં. જેના પર નીતિન પટેલે એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘ભાજપ પાસે તો રેસના ઘોડા છે. જો કોઈને લગ્નમાં વરઘોડો નિકાળવો હોય અને નાચતા ઘોડાની જરૂર હોય તો, કોંગ્રેસ વાળાને બોલાવી લેજો’. ત્યારે હવે કડીમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદનો લાભ લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કર્યું કે, ‘ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર…ભાજપની આંતરિક લડાઇ ચરણસીમાએ…’ લખી હેસટેગ નીતિન પટેલ કર્યું હતું.

રમેશ પટેલે જાહેર કરેલો પત્ર

હું પટેલ રમેશભાઈ બચુભાઈ, પૂર્વ APMC ડિરેક્ટર, કડી ગામ-આદુંદરા, તા-કડી જાહેર ખુલાસા સાથે 1 કરોડના ઇનામની જાહેરાત કરું છું કે….

  1. મેં પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને એક કરોડનું ઇનામ.
  2. મેં મારી‌ 49 વર્ષની ઉંમરમાં કોઇ પાસે લાંચ-રુસ્વત લીધી હોય, ચોરી, શેનારી કરી હોય, કોઇના તોડ-પાણી‌, બ્લેક મેઇલિંગ કે અન્ય રીતે ધમકાવીને પૈસા પડાવ્યા હોય, કોઇ હોદ્દેદારના લેટરપેડનો દુરુપયોગ કરી‌ પૈસા પડાવ્યા હોય કે અન્ય રીતે પૈસા પડાવ્યા હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ.
  3. હું જેવો જાહેર જીવનમાં ઇમાનદારી, પારદર્શક અને સ્પષ્ટતાથી જીવું છું તેનું ખાનગીમાં કોઈ રહસ્ય હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ.
  4. અમારુ ગામ 2012થી‌ કડી‌ વિધાનસભામાં આવ્યું ત્યારથી આજસુધી કડી ભાજપમાં સક્રિય રીતે કામ કરું છું. તે દરમિયાન કોઇ પાર્ટી વિરુદ્ધનું કોઈ કાર્ય કર્યું હોય કે કોઈ કાર્યકર સાથે ઉદ્ધતાઈ કે ગેરવર્તણૂક કરી હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ.
  5. 2018થી 2023 સુધી મારા APMCમાં ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, ખેડૂતોને કે કિસાન સંઘને મદદ ના‌ કરી હોય કે કોઈ કાર્યકર, અરજદાર કે ગામડાના સામાન્ય માણસ સાથે ગેરવર્તણૂક, ઉદ્ધતાઈ કે લાંચ લીધી હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ.
  6. ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ના હોવા છતાં અગ્રેસર રહીને પાર્ટીનું કામ ના કર્યું હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ.
  7. 2015માં પાટીદાર અનામત આંદોલનના શરુઆતથી 2017માં આંદોલનના અંત સુધી જ્યારે ભાજપના અન્ય નેતાઓએ મોં સંતાડતા હતા. એવા વખતે મેં નીતિનભાઈ પટેલ તથા ભાજપ સરકારના સમર્થનમાં ઢાલ બનીને જીવના જોખમે અસંખ્ય કાર્યક્રમો આપ્યા હતા ને સરકારના સમર્થનમાં કામ કર્યુ હતું. જેના ફળની સજા આજે મને નીતિનભાઈ જેવા નેતા આપી રહ્યા છે. જો તે ખોટું સાબિત કરે તેને 1 કરોડનું ઇનામ
  8. મારી પક્ષ પ્રત્યેની ફરજ, નિષ્ઠા તથા કામગીરી બાબતની જો કોઈએ ચકાસણી કરવી હોય તો જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પાસે ચકાસણી કરાવી શકે છે કે આ કામગીરીના બદલામાં મેં કોઈ દિવસ કોઈ હોદ્દા માટેની વાત કે લાલચ કરી હોય એવી વાત સાબિત કરી બતાવે તેને 1 કરોડનું ઇનામ
  9. કડી‌ તાલુકા પંચાયતમાં મારા ધર્મપત્ની પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર હોવા છતાં કડી કે મહેસાણાના કોઈ હોદ્દેદારો કે આગેવાનોને એકવાર પણ પ્રમુખ પદ માટે માંગણી કે લોબિંગ કર્યું હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ
  10. પાર્ટી કે અન્ય વ્યક્તિના‌ લાભ માટે કદાચ મારાથી જાણે નહીં પણ અજાણે ખોટું થયું હોઇ શકે, પરંતુ મારા કે મારા‌ પરીવારના સ્વાર્થ માટે મેં ખોટું કર્યું હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ
  11. હું મારા વાણી, વર્તન, વિચારધારા કે રહેણીકરણીમાં સૌને સમાન માનું છું, હું સનાતન ધર્મની તમામ જાતિઓને મારો પરિવાર ગણું છું મને જાતિવાદી સાબિત કરી આપે તેને 1 કરોડનું ઇનામ.
  12. મતલબ મેં આજસુધી કોઇ જ જાતના મારા સ્વાર્થ વગર રાજકારણ, સામાજિક કે ધાર્મિક દરેક ક્ષેત્રમાં પૂરી ઇમાનદારી, પ્રમાણિકતા, ખંત, નિ: સ્વાર્થ, સ્પષ્ટ વહિવટ, સ્પષ્ટ વક્તા, માનમર્યાદાથી કામ કર્યું છે. જેમાં કોઇ ખોટ સાબિત કરી આપે તેને 1 કરોડનું ઇનામ.
  13. આધારભૂત માહિતી વગર કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા વિરુદ્ધ કોઈ જાતના આરોપ કે અફવા ફેલાવવી મારી આદત કે સ્વભાવમાં નથી જેની નોંધ લેશો.
  14. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવાના હથકંડા હોય કે 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડીમાંથી લીડ ઓછી મળે એવી બદનિયત કોની હતી તેની સમગ્ર માહિતી કડી ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો સારી રીતે જાણે છે. આ બંને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને જીતાડવા નીતિનભાઈએ એકપણ સભા કરી નથી. ઉલ્ટાનું 2022માં કડી વિધાનસભામાં ભાજપને હરાવવા કોંગ્રેસના નેતાઓ સાથે એમના‌ મળતિયાઓએ સાંઠગાંઠ કરેલી તથા ચૂંટણી ફંડ આપ્યું હોઇ શકે તેની તપાસ થવી જોઈએ.
  15. કડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તથા કડીના પાર્ટીને આર્થિક મદદ કરતા દાનવીરો હાલ નીતિનભાઈ પટેલના ભયના ઓથા તળે ડરીને કામગીરી કરી રહ્યા છે એની તપાસ પાર્ટીએ કરાવવી જોઇએ.
  16. હું બાલ્યાવસ્થાથી આર.એસ.એસ સાથે સંકળાયેલ છું સંઘ વ્યક્તિનું ઘડતર કરે છે પોતાના સ્વાર્થ માટે કાવાદાવા કે હથકંડાઓ કરવાનું શિખવાડતો નથી. મારા જીવનમાં ક્યારેય મેં રાજકીય, સામાજિક કે ધાર્મિક કાર્ય મારા સ્વાર્થ માટે કરેલું નથી.
  17. પોતે જ કડીને કંટ્રોલ કરી શકે અને પોતે જ કડીના સર્વેસર્વો છે એવું ભાજપ હાઇ કમાન્ડમાં પ્રસ્થાપિત કરવા તથા એમનું સ્થાન કડીમાં કોઈ બીજા નેતાઓ ના લઇ લે તે માટે 2-4 ખુશામત ખોરોને પોષીને કડી ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારોમાં ભાગલા પાડી ભાજપને નુકસાન કરવાની નિષ્ફળ કોશિશ તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી કરી રહ્યા છે, પરંતુ પાર્ટીના 99.99 % કાર્યકર્તાઓની વફાદારીને એક્તાના કારણે તેઓ ભાગલા પાડવામાં આજસુધી સફળ થયા નથી.
  18. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે હું વૈચારિક, એમની કાર્યશૈલી વિરુદ્ધની તથા‌ નીતિવિષયક આલોચના કરું છું. તેમની સાથે શારીરિક કે અન્ય કોઈ પ્રકારની લડાઇ છે જ નહીં પરંતુ એમાં નીતિનભાઈ, એમનો પરિવાર કે એમના ખુશામત ખોરો મને પહોંચી શકે તેમ ના હોવાથી તેઓ બધા મારા‌ કે મારા પરિવાર ઉપર જીવલેણ હુંમલો કે જાનહાનિ કરી શકે તેવી મને શંકા છે. જેની જાણકારી મારા અંગત વર્તળોના માધ્યમથી મને જાણવા મળેલી છે. માટે મને કે મારા પરિવાર પર કોઇપણ જાતનો શારીરિક હુમલો કે જાનહાનિ થઇ તો તેના સંપૂર્ણ જવાબદાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, એમના બંને દીકરા તથા એમના ખુશામત ખોરો રહેશે.
  19. મેં કોઈ દિવસ નીતિનભાઈ, તેમના પરિવાર કે તેમના ખુશામતખોરો વિરુદ્ધ કેરેક્ટર કે જાતિ બાબતે આજદિન સુધી કોઇ હુમલો કે આરોપ કરેલો નથી, હું ફક્ત તેમની નીતિઓની આલોચના કરું છું, ભલે તેમણે પોતે મારા ઓબીસી સમાજમાંથી આવતા ધર્મપત્ની વિશે જાતિ વિષયક અતિ નિમ્ન કક્ષાનો બફાટ કર્યો હોય ને જે સાંભળી નીતિન પટેલ વિરુદ્ધ ખાલી ગુજરાત જ નહીં, પરંતુ પૂરા દેશમાં આંદોલન ફાટી નીકળે.
  20. નીતિનભાઈએ જો કોઈ ભ્રષ્ટાચાર કે ખોટું ના કર્યું હોય તો પોતાના ખુશામત ખોરો પાસે વાહવાહી કરાવ્યા વગર મારી જેમ ડંકે કી ચોટ ઇનામ જાહેર કરી પોતાનો ખુલાસો જાહેર કરે. (પાર્ટીના હિત માટે ખોટું કર્યું તે ક્ષમ્ય છે)

મેં જાહેર કરેલી ઉપરોક્ત માહિતી 100 એ 100 % સત્ય છે. માટે દૂધનું દૂધને પાણીનું પાણી કરવા આ ખુલાસો કડી શહેર તથા‌ તાલુકાના દરેક નાગરિક વાંચી શકેને કોઈ નાગરિક ખોટી અફવાઓ તથા હથકંડાઓનો શિકાર ના બને તે માટે વધારેમાં વધારે શેર કરો.

તેવું લખાણ આ પત્રમાં લખેલું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!