GUJARAT

મજદૂર સંઘના સ્થાપના દિવસની ઉજવણી: હિંમતનગર એસટી ડેપોમાં ધ્વજ વંદન કરી સુત્રોચ્ચાર કરાયા – sabarkantha (Himatnagar) News


હિંમતનગર ના એસટી ડેપો પર ભારતીય મજદૂર સંઘ ની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થવાને લઈને આજે ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણીને લઈને આગામી 3ક જુલાઈ સુધી ગામ સુધી સંઘ પહોંચી સંગઠન સહિતની કામગીરી કરશે.

.

ભારતીય મજદૂર સંઘ સાથે એસટી,આંગણવાડી,આરોગ્ય, UGVCLl,શૈક્ષણિક સહિતના વિભાગોના કર્મચારીઓ જોડાયેલા છે.ત્યારે ભારતીય મજદૂર સંઘના સ્થાપનાને 23 જુલાઈ 2024 ને મંગળવારે 70 વર્ષ થયાં છે ત્યારે સ્થાપના દિવસની ઉજવણીએ હિંમતનગરમાં એસટી ડેપોમાં સંઘ ના પ્રમુખ સહિત કાર્યકરોએ ધ્વજ વંદન કરીને 70 વર્ષની ગૌરવ ગાથાની ચર્ચા કરી હતી. ત્યાર બાદ સુત્રોચાર કર્યા હતા. 23 જુલાઈ 1955ના રોજ RSS ના વરિષ્ઠ પ્રચારક શ્રદ્ધેય દતોપંત ઠેગડેજી દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે મજદૂર સંઘની સ્થાપના રાષ્ટ્રહિત,ઉદ્યોગહિત અને શ્રમિક હિત ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

આ અંગે સાબરકાંઠા મજદૂર સંઘ ના પ્રમુખ રામજીભાઈ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે ભારતીય મજદૂષણ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવેલ આહવાનના ભાગરૂપે હિંમતનગર ડેપો ખાતે ઉજવણી કરવામાં આવેલ ત્યારબાદ ચલો ગાવ અંતર્ગત 22 જુલાઈ થી 31 જુલાઈ સુધી ગ્રામ કક્ષાએ ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકર્તાઓ સાથે રાખી ગામમાં ગ્રામજનોની વચ્ચે ભારતીય મજદૂર સંઘના સંગઠન વિશે જાણકારી આપવામાં આવશે સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!