GUJARAT

વહેલી સવારે ખેલાયો ખૂની ખેલ: મોરબીના ખાટકીવાસ પાસે તલાવડીવાસમાં પૂઠના ભાગે તીક્ષ્ણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીંકી યુવાનની હત્યા – Morbi News


મોરબીના ખાટકીવાસ પાસે તલાવડીવાસમાં વહેલી સવારે ચાર વાગ્યના અરસામાં યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા

.

મોરબી શહેર અને જિલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, છરીના હુમલા વગેરે જેવી ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય બનતી જતી હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. શનિવારે સાંજે મોરબીમાં ફિલ્મી સ્ટાઇલથી કાર ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલો પણ કરવામાં આવ્યો હતો જેની સહી સુકાઈ નથી. ત્યાં આજે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોરબીના ખાટીવાસ તલાવડીવાસમાં મમુદાઢીના રહેણાંક મકાન પાસે યુવાનને પૂઠના ભાગે તીક્ષ્ણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવેલ છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતો તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30) હોવાનું એસએમે આવ્યું છે.

જો કે, તેને કોણે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને શા માટે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એકથી વધુ લોકો દ્વારા આ યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવતા તેનું મોત નીપજયું છે. જેથી કરીને પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!