નિર્ણય: વેરાવળ, ઓખા, પોરબંદર, જામનગર માટે ખાસ રિઝર્વેશન વિનાની ટ્રેનો દોડશે – Junagadh News
ભાવનગર ડિવિઝન દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાને લઇ અને ટ્રેનોમાં થતી વધારાની ભીડ અટકાવવા માટે વેરાવળ, ઓખા, પોરબંદર, જામનગર માટે 4 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા કે, ભાવન
.
યુટિલિટી
‘{ ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14 જુલાઇના રોજ જામનગર સ્ટેશનથી 2 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 10:30 કલાકે પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14 જુલાઇના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 18.00 કલાકે ઉપડશે અને તારીખ 15 જુલાઇના સવારે 06.15 કલાકે જામનગર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.
{ ટ્રેન નંબર 09538 વેરાવળ-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના વેરાવળથી સવારે 4.00 વાગ્યે ઉપડશે અને સવારે 10.30એ ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09537 ભાવનગર-વેરાવળ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના ભાવનગર ટર્મિનસથી 18.00 કલાકે ઉપડશે, તારીખ 16 જુલાઇના 01.20 કલાકે વેરાવળ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન ચોરવાડ રોડ, માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
{ ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના ઓખાથી 23.20 કલાકે ઉપડશે અને તારીખ 16 જુલાઇના સવારે 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 16 જુલાઇએ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે અને તારીખ 17એ સવારે 07.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
{ ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 18 જુલાઇના પોરબંદરથી 23.00 કલાકે ઉપડશે, તારીખ 19 જુલાઇના સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 19 જુલાઇના ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે, તારીખ 20 જુલાઇના સવારે 06.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેનોના નંબર, સમય અને ટાઇમટેબલ