GUJARAT

સમસ્યા: ગટર અને ગેસની કામગીરી પૂર્ણ પણ પેચવર્ક ન કરાયું, માત્ર કાંકરા નખાયા – Junagadh News


.

સુભાષનગર

જૂનાગઢ | શહેરમાં તંત્ર દ્વારા ચોમાસાની શરૂઆત પૂર્વે ઠેર- ઠેર ગટર, ગેસની કામગીરી પુર્ણ કરાઇ છે. કામગીરી બાદ પેચવર્ક કરવાનુ હોય જે ન કરાતા આ વિસ્તારોમાં વરસાદ સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેમાં ખલીલપુર રોડ નજીક આવેલ સુભાષનગર, પ્રેરણાપાર્ક અને એકતાનગર સોસાયટીમાં કાંઇક આવી સ્થિતી છે. સ્થાનિકો દ્વારા પેચવર્ક માટેની અરજી કરેલી હોવા છતા તંત્ર દ્વારા થઇ જશે તેવો ઉડતો જવાબ આપવામાં આવ્યો અને પેચવર્કને બદલે માત્ર કાકરી નાખવામાં આવેલ છે. કાકરી નાખવાથી ઉંચાણ થઇ જતા વધારે વરસાદમાં અહી ઘરોમાં પાણી ધૂસી જાય છે. આ સોસાયટીની આ સ્થિતીને યોગ્ય કરવા સ્થાનિકોની માંગ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!