GUJARAT

રોકડી કરવા ખાનગી લેબે ચાંદીપુરાનું ટેસ્ટિંગ શરૂ કર્યું: સરકારે રોક લગાવી, પરંતુ આરોગ્ય સચિવ કહે છે, ટેસ્ટિંગ માટે તેમને કોઇ પરવાનગી જરૂરી નથી – Gandhinagar News

ચિંતન આચાર્ય ગુજરાતમાં કોરોનાકાળ વખતે કેટલાંક નફાખોર લોકોએ દવાઓ, સેનિટાઇઝર, માસ્ક, ટેસ્ટિંગ વગેરેમાં નફાખોરી કરી લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું. તેવું જ હવે ચાંદીપુરા વાઇરસના ફેલાવા દરમિયાન જોવા મળી રહ્યું છે. કેટલીક ખાનગી લેબોરેટરીએ ચાંદીપુરા વાઇ

.

સુપ્રાટેક ન્યુબર્ગે ટેસ્ટ કર્યા, આદેશ પછી બંધ કર્યું આ મામલે જાણીતી લેબ સુપ્રાટેક ન્યુબર્ગના રમેશ વાધવાણીએ જ સંબંધિત લોકોને મેઇલ અને સોશિયલ મીડિયા મેસેજ મારફતે જાણ કરી હતી કે તેઓ આવાં ટેસ્ટ કરે છે. અલબત્ત આ મામલે ભાસ્કરે વાધવાણીને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, અમે શરૂઆત કરવાના હતા પરંતુ સરકારે પરવાનગી ન આપી તેથી અમે તે કર્યું નથી. અમે તે સંદેશ ડીલીટ પણ કરી દીધાં છે. જો કે આ જ લેબના અન્ય તબીબ ડો. કૃતાર્થ શાહે જણાવ્યું કે અમે 2 કે 3 ટેસ્ટ કર્યાં હતાં પરંતુ સરકારમાંથી આદેશ આવ્યા બાદ બંધ કરી દીધાં છે.

ચાંદીપુરાના કુલ 23 કેસ મળ્યા, 41 બાળકોનાં મોત નોંધાયા ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 23 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જ્યારે વાઇરલ એન્સિફિલાઇટિસના 118 કેસ નોંધાયા છે. આ પૈકી 41 બાળકોના મોત નોંધાયા છે. આ તમામ કેસ પૈકી અમદાવાદ શહેરમાં 11 દર્દી નોંધાયા અને તેમાંથી 4ના મોત થયાં છે. આ બાબતનો વધુ અભ્યાસ કરવા માટે નવી દિલ્હીના નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલના નિષ્ણાતો વધુ અભ્યાસ માટે ગુજરાત આવ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!