GUJARAT

દ્વારકા ખંભાળિયા ક્રાઇમ ન્યૂઝ: ખંભાળિયાના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો,કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહીને ચંદ્રાવાડા ગામના આધેડ ઉપર હુમલો, ખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે બાઈકસવાર ઈજાગ્રસ્ત – Dwarka News

ખંભાળિયાના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયામાં સલાયા ફાટક પાસે આવેલી એક હોસ્પિટલ નજીક રહેતા જીતુભાઈ મુરુભાઈ ગઢવી નામના 43 વર્ષના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના સંબંધી કમલેશભાઈ મુરુભાઈ ધ

.

કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહીને ચંદ્રાવાડા ગામના આધેડ ઉપર હુમલો
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા હરદાસભાઈ સાજણભાઈ ઓડેદરા નામના 50 વર્ષના આઘેડને આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે આ જ ગામના રામ દેવાભાઈ ઓડેદરા નામના શખ્સે માર માર્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કલ્યાણપુરની કોર્ટમાં ચાલુ હોય, જે કેસ પાછો ખેંચી લેવા બાબતે અગાઉના મન દુઃખનો ખાર રાખી, આરોપી રામભાઈ ઓડેદરાએ ફરિયાદી હરદાસભાઈ ઓડેદરાને ગેડિયા (લાકડી) વડે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે બાઈકસવાર ઈજાગ્રસ્ત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા નરશીભાઈ કાનાભાઈ સોનગરા નામના 51 વર્ષના આધેડ તેમના મોટરસાયકલ પર ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આવેલી એક હોટલ પાસેના સર્વિસ રોડ ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે આ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલી એક ઈક્કો કારના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવીને નરશીભાઈ સોનગરાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે અજાણ્યા ઈક્કો ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!