GUJARAT

પાણીના બોરમાં ક્લોરિન નીલ મળ્યું: AMC કમિશનરે કહ્યું શહેરમાં રોડ પરના દબાણો તમને દેખાતા નથી? ચાંદીપુરા વાયરસને લઈને ગંભીરતાપૂર્વક કામગીરી કરવા સૂચના – Ahmedabad News

શહેરમાં વધતા જતા દબાણો અને ટ્રાફિક સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ બેઠકમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને સવાલ કરતાં કહ્યું હતું કે, શહેરમાં રોડ પરના દબાણો તમને દેખાતા નથી? દબાણો દૂર કરવા માટે દર વખતે મારે તમને કહેવું પડે છે. વધતા જતા પાણીજન્ય રોગ

.

કમિશનરે આરોગ્ય વિભાગના અધિકારીઓને વેધક સવાલો કર્યા
કમિશનરે રીવ્યુ બેઠકમાં ચાંદીપુરા વાયરસને લઈને ચર્ચા કરી હતી. આ વાયરસને લઈ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને શું કામગીરી કરવામાં આવી છે? તેને લઈને ચર્ચા કરી હતી. વાયરસના લક્ષણો અને તેનાથી સાવચેત રહે તેના માટે લોકોને માહિતગાર કરવા અંગે અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં વધતા જતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને લઈને પણ કમિશનરે આરોગ્ય વિભાગના અધિકારીઓને વેધક સવાલો કર્યા હતા. શહેરમાં અનેક જગ્યાએથી ચેકિંગ દરમિયાન મચ્છરના બ્રિડિંગો મળી આવ્યા છે. સ્કૂલો સહિતના સ્થળોએ તપાસ કરી શું કામગીરી કરવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!