GUJARAT

વિજય કારગિલ દિવસની ઉજવણી: વીર શહીદોના નામે આવેલી AMCની સ્કૂલોમાં શહીદના પરિવારોએ વિદ્યાર્થીઓ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી – Ahmedabad News

આજે વિજય કારગિલ દિવસ નિમિત્તે વીર શહીદોના નામે વીર શહીદ મુકેશ રમણ રાઠોડ પ્રાથમિક શાળા મેઘાણીનગર શાળા નં. 2, શહીદ વીર શહીદ મેજર ઋષિકેશ વલ્લભભાઈ રામાણી પ્રાથમિક શાળા બાપુનગર શાળા નં.13, વીર શહીદ વિશ્વપાલસિંહ ભદોરીયા પ્રાથમિક શાળા કુબેરનગર હિ.શા.નં.1-2,

.

કારગીલ વિજય દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ
આ મ્યુનિસિપલ શાળાઓમાં કારગીલ વિજય દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાઓમાં વીર શહીદોના કુટુંબીજનોને આમંત્રિત કરી તેમની હાજરીમાં આ વિજય દિવસને ઉજવવામાં આવ્યો હતો. કુટુંબીજનોએ પોતાના પનોતા પુત્રને યાદ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. શાળાના બાળકોએ “શહીદો અમર રહો અમર રહો” ના નારા બોલ્યા હતા. વીર શહીદોના કુટુંબીજનોએ વિશિષ્ટ ઉજવણી કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
વીર શહીદોના જીવન કવન ઉપરથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે પ્રાથમિક તબક્કેથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર ભાવના, સાહસ, શોર્ય, ત્યાગ, બલિદાન જેવા ગુણોનો વિકાસ થાય તે માટે આજે મ્યુનિસિપલ શાળામાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે હું સૈનિક બનુ તો, શહીદો દેશના સાચા પ્રહરી અને મારું સ્વાભિમાન મારું રાષ્ટ્ર જેવા વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 60000 કરતાં વધારે મ્યુનિ. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!