GUJARAT

અમદાવાદની સ્વીટ શોપમાંથી ખરીદેલી મીઠાઈ બની અખાદ્ય: પેકેટ ખોલીને બે કાજુકતરી ખાધી ને ત્રીજીમાં જીવાત નીકળી, ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી – Ahmedabad News


અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. હવે મીઠાઈમાં પણ જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. શહેરના CTM વિસ્તારમાં આવેલી ગોપાલ ડેરીમાંથી લીધેલી કાજુ કતરીમાંથી

.

બે કાજુકતરી ખાધી ને ત્રીજીમાં મરેલી માખી જોવા મળી
શહેરના રામોલ ખાનવાડી વિસ્તારમાં રહેતા હમીદ મન્સૂરી હાટકેશ્વર પાસે દુકાનદાર ધરાવે છે. તેઓએ પોતાનું નવું ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદ્યું હતું. જેથી, તેમના પરિવાર અને મિત્રો માટે મીઠાઈ લેવાની હતી. CTM પાસે આવેલી ગોપાલ ડેરીમાંથી તેઓએ તેમના પરિવાર અને મિત્રો માટે 250 ગ્રામના કાજુકતરીના બે પેકેટ લીધા હતા. બંને કાજુકતરીના પેકેટ લઈને ઘરે ગયા હતા. એક પેકેટ મિત્રને અને બીજુ પેકેટ એમના પરિવારને આપ્યું હતું. ખોલીને તેમાંથી બે કાજુકતરી ખાધી જ્યારે ત્રીજી કાજુકતરી લેવા ગયા ત્યારે તેમાં મરેલી માખી જોવા મળી હતી.

બોક્સ પાછા લઈને પૈસા પરત આપ્યા
હમીદ મન્સૂરીએ જણાવ્યું હતું કે, ગોપાલ ડેરીમાંથી તેઓ કાજુકતરીના બે બોક્સ લાવ્યા હતા. તેમાંથી માખી નીકળી હતી, જેથી રાત્રે પરત આપવા ગયા હતા પરંતુ, દુકાન બંધ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તેઓ જ્યારે પોતાની દુકાને જવા નીકળ્યા ત્યારે સાથે પેકેટ લઈ ગયા હતા અને ગોપાલ ડેરીના દુકાનદારને કાજુકતરીમાંથી માખી નીકળી હતી. તેનો ફોટો અને કાજુકતરી બંને બતાવી હતી. જેથી કામદારે તેને કહ્યું હતું કે, ભૂલ થઈ ગઈ તમારી કાજુકતરીના પૈસા પાછા આપી દઈએ છીએ. તેઓએ બોક્સ પરત લઈ લીધા હતા પરંતુ, જો બીજા કોઈ વ્યક્તિ આ રીતે મીઠાઈ લેવા આવ્યા અને તેમને બોક્સમાંથી જીવાત નીકળે જેથી આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!