GUJARAT

રાજકોટ અગ્નિકાંડમાં ACBની તપાસ સામે સવાલો: બેનામી સંપત્તિમાં સાગઠિયાનું મોઢું ન ખોલાવી શક્યું, કોની સાથે મળીને, કોના ઇશારે ભ્રષ્ટાચાર કર્યો?, સાગઠિયા જેલહવાલે – Rajkot News


રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાની ઘટના બાદ રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓનો પણ પર્દાફાશ થયો હતો. એમાં મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત સહિત કુલ ત્રણ ગુના નોંધાયા હતા. એસીબીની તપાસમાં અપ્રમાણસર મિલકત મ

.

મિલકતની તપાસ માટે કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા
રાજકોટ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવતાં 2012થી 2024 દરમિયાન તેની પાસે આવક કરતાં 410% વધુ એટલે કે 13.23 કરોડની સંપત્તિ મળી આવી હતી. તારીખ 19 જૂનના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન એસીબીએ ગત 1 જુલાઈને સોમવારે સાંજે જેલમાંથી સાગઠિયાનો કબજો લઇ તેના ભાઈની ઓફિસનું સીલ ખોલી તપાસ કરતાં એમાંથી સોના-ચાંદી, ડાયમંડ જ્વેલરી, વિદેશી ચલણી નોટ, સોનાના બેલ્ટવાળી ઘડિયાળ અને રોકડ સહિતની મતા મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી. એને કબજે લઈ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી અને સાગઠિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સાગઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સાગઠિયાનું ભેદી મૌન તોડવામાં ACB નિષ્ફળ રહી
એસીબીના વડા દ્વારા તપાસનું અસરકારક સુપરવિઝન કરવા અને મિલકત ટાંચમાં લેવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એસીબીની ટીમ કે એસીબીની SIT કોઈ ખાસ મોટા ખુલાસા કરાવી શકી નથી. કોની સાથે મળીને અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો એ અંગે સાગઠિયાનું પહેલેથી રહેલું ભેદી મૌન તોડવામાં પણ એસીબી નિષ્ફળ રહી છે. ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કરતાં તેને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેણે કોના કહેવાથી અને કોના સપોર્ટથી ભ્રષ્ટાચાર આચર્યો એ સહિતની તપાસને પણ પૂર્ણવિરામ લાગી ગયું છે.

સાગઠિયાની ઓફિસમાંથી કરોડોની બેનામી મિલકત મળી હતી.

સાગઠિયાની ઓફિસમાંથી કરોડોની બેનામી મિલકત મળી હતી.

સાગઠિયાની એસીબીએ કરેલી તપાસ સામે ઊઠતા સવાલો
(1) સાગઠિયાને લાંચ માટે કરોડો રૂપિયા કોને અને કયાં ખોટાં કામ કરાવવાં માટે આપ્યા?
(2) સાગઠિયા એકલા ભ્રષ્ટાચાર કરતા હતા? ઉપલા કોઈ અધિકારી કે પદાધિકારીને આપતા હતા કે કેમ? એ અંગે કોઈ ખુલાસો નહિ.
(3) સાગઠિયાએ ખરીદ કરેલી મિલકતોની કિંમત પણ ઓછી દર્શાવી તો વાસ્તવિક કિંમત કેટલી?
(4) સાગઠિયાની બેંક તેમજ લોકર તપાસમાં કશું સામે આવ્યું નહિ તો બેંક અને લોકર ક્યારે ખાલી કરાયાં? એ અંગે કોઈ ખુલાસો નહિ.
(5) સાગઠિયાના રિમાન્ડ દરમિયાન અન્ય કોઈનાં નામ ન ખૂલ્યાં?
(6) સાગઠિયાના વચેટિયા કોણ?
(7) સાગઠિયાના વહીવટદાર કોણ?

ઓફિસમાં રેડ કરી ત્યારની તસવીર.

ઓફિસમાં રેડ કરી ત્યારની તસવીર.

મનસુખ સાગઠિયાની ફાઈલ તસવીર.

મનસુખ સાગઠિયાની ફાઈલ તસવીર.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!