પોરબંદર, જામનગર, ભૂજના 26 ગામોના વિજળી ગૂલ: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને કારણે PGVCLના 202 ફીડર, 959 વિજ પોલ, 68 TC ડેમેજ – Rajkot News
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ચોમાસામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ક્યાંક મુશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેવામાં વીજપોલને ખાસ્સુ નુકસાન પહોંચ્યું છે. વરસાદને કારણે પોરબંદર, જામનગર અને ભુજના 26 જેટલા ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-ક
.
6 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો
PGVCLના જણાવ્યા પ્રમાણે, પોરબંદરમાં વીજળીના 9 ફીડર બંધ છે. 6 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જ્યારે 287 વીજ પોલને નુકશાન પહોંચતા રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ત્યાં 20 TC ડેમેજ થઈ ગયા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં વરસાદને કારણે 30 વીજ પોલને નુકશાન પહોચ્યું હતું. જ્યારે જૂનાગઢમાં વરસાદને લીધે 167 વિજ પોલ ડેમેજ થઈ ગયા હતા તો 17 TCને નુકશાન થયું હતું. જ્યારે જામનગરમાં વરસાદને લીધે 78 ફીડર બંધ થઈ ગયા હતા તો 2 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 428 વીજ પોલ અને 30 TC ડેમેજ થઈ ગયા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 202 વીજ ફીડર બંધ થઈ ગયા હતા
આ ઉપરાંત ભુજમાં વરસાદને લીધે 95 ફીડર બંધ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ત્યાં 18 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો અને 32 વીજ પોલ ડેમેજ થઈ ગયા હતા. અંજારમાં 13 ફીડર બંધ થયા હતા તો ભાવનગરમાં 3 વીજ ફીડર બંધ થઈ ગયા હતા અને ત્યાં 15 વીજ પોલ અને 1 TC ડેમેજ થઈ ગયું હતું. આ રીતે વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં 202 વીજ ફીડર બંધ થઈ ગયા હતા. જેને લીધે લોકોના ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો જેથી pgvcl ની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ વીજ પોલના રીપેરીંગની સાથે વીજ પૂરવઠો પુર્વવત શરૂ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.