GUJARAT

ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના યોજાશે: ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 10થી 4 વાગ્યા સુધીમાં યોજાશે – Ahmedabad News

ધોરણ 10 અને 12ની બોર્ડની વર્ષ 2025ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. બોર્ડ દ્વારા ગ

.

ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના યોજાશે
વર્ષ 2017થી ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજિયાત દાખલ કરવામાં આવી છે. વર્ષ 2025 માટે ડિગ્રી એન્જિનિયરિંગ તથા ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સના ગ્રુપ એ, બી અને એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના દિવસે યોજવામાં આવશે. સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તમામ કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા યોજાશે.

NCERT આધારિત ગુજકેટની પરીક્ષા રહેશે
વર્ષ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલોમાં ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. NCERT આધારિત ગુજકેટની પરીક્ષા રહેશે. જેમાં તમામ વિષયના 40 પ્રશ્નો હશે જે તમામ 40 ગુણના હશે. આમ કુલ 160 ગુણની ગુજેકટની પરીક્ષા યોજાશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ રહેશે જેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!