GUJARAT

ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતને મેઘરાજા ધમરોળશે: દ્વારકા-પોરબંદર, સુરત-નવસારી સહિત રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે; ઉત્તર-મધ્ય ગુજરાતથી વરુણદેવ રિસાયા – Ahmedabad News


હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના ફરી હાલ બેહાલ થવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (21 જુલાઈ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ,

.

ઉત્તર અને મધ્ય ગુજરાત પર વરુણદેવ હેત નહિ વરસાવે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફ શોર ટ્રફ સક્રિય થતા વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી અને આગામી ત્રણ દિવસ પણ વરસાદની કોઈ સંભાવના નથી. માત્ર છુટા-છવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!