GUJARAT

ભ્રષ્ટાચારનો સુ‘દર્શન’: બેટ દ્વારકામાં રૂ.1 હજાર કરોડમાં 5 મહિના પહેલાં બનેલો સિગ્નેચર પુલ ઉખડી ગયો, પુલના સળિયા દેખાવા લાગ્યા, દીવાલ પડવા લાગી – Khambhaliya News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા લગભગ 962 કરોડથી વધુના ખર્ચે નિર્મિત પાંચેક માસ પૂર્વે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાપર્ણ થયું હતું, તે સુદર્શન સેતુ બ્રિજના રોડ પર રીતસર સળિયા દેખાય તેવો ખાડો પડતા ગુણવત્તામાં પ્રથમ ગ્રાસે જ

.

962 કરોડના ખર્ચે નિર્માણ, સાત વર્ષ કામ ચાલ્યું
સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજનંુ ભૂમિ પૂજન 7મી ઓકટો. 2017ના રોજ કરવામાં આવ્યું હતંુ. જે બાદ નિર્માણ કાર્ય પૂર્ણ થતા ગત 25મી ફેબ્રુ.ના રોજ તેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતંુ.962 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું જેનો કોન્ટ્રાકટ એસ.પી. સિંગલા કંપનીનો રહ્યો હતો.
સંબંધિત વિભાગના અધિકારીનો ફોન નો રિપ્લાય
સુદર્શન સેતુ બ્રિજનુ સંચાલન કરતી મકાન અને માર્ગ વિભાગના અધિકારી રમેશભાઇ મોરીનો મોબાઇલ પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો જોકે,અનેક ફોન કરવા છતા કોલ્સ નો રીપ્લાય થયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!