GUJARAT

વડોદરામાં ફોઈના ઘરે રહેતા યુવકનો આપઘાત: દાંડિયા બજારના ભાસ્કર વિઠ્ઠલના વાડામાં યુવાને ગળેફાંસો ખાધો, પોલીસે વધુ તપાસ હાથ ધરી – Vadodara News


વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડામાં પોતાની ફોઈના ઘરે 27 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. આ યુવક એસી રિપેરિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ અ

.

ગ્રાઉન્ડ ફ્લોર પર ઊંઘવા ગયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલ વાડામાં રહેતો 27 વર્ષે યુવાન રોજની જેમ ગતરોજ પણ પોતાના ફોઇ જે ઘરે કામ કરતા હતા, તે જુમ્માદાદા વ્યામ મંદિરની સામે આવેલી સાત્વિક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊંઘવા માટે ગયો હતો. આ વખતે રોજની જેમ તેની સાથે તેના ફોઈ અને પરિવાર ન હતા. તે દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર પોતે જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતાંની સાથે જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
બનાવની જાણ પોલીસને કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે આવી અને યુવકના મૃતદેહને કબ્જે લઇ વધુ કાર્યવાહી માટે સાથે એફએસએલની ટીમ રખાઈ હતી. બાદમાં પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાત કર્યાની બપોરે જાણ થઈ
આ અંગે યુવકના મિત્ર અલ્પેશ પવારે જણાવ્યું હતું કે, આ બાબતની જાણ અમને બપોરના સમયે થઈ હતી. તેનું નામ નીતિન ગાણેકર હતું અને તે એસી રિપેરિંગનું કામ કરતો હતો. તે તેના ફોઈના ઘરે હતો અને જમવાનું કહેતા બપોરે દરવાજો ન ખોલતા મામલો સામે આવ્યો હતો. વ્યક્તિ સારો હતો દરેક સાથે હળીમળી રહેતો હતો અને તેને કોઈ સમસ્યા ન હતી. તેની ઉંમર 27 વર્ષની છે. કયા કારણોસર પગલું ભર્યું તે તો ભગવાનને ખબર.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!