GUJARAT

દીપડો પાંજરે પૂરાયો: બામણબોર પંથકમાં જીવાપર ગામની સીમમાં વાડીએ બાંધેલી વાછરડીનું ગઈકાલે દીપડાએ મારણ કર્યું હતું – Rajkot News


રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત વધતી જોવા મળી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધા છે. જ્યાં જીવાપર ગામે વધુ એક વખતે દીપડાએ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફ્ફડાટ વ્યાપી ગયો હતો અને ત્વરીત દીપડાને પાંજરે પ

.

દીપડાએ દેખા દેતા ગામના લોકો ભયભીત
રાજકોટ જિલ્લાના બામણબોર ગામે જીવાપર ગામ પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ મેરની વાડીના માલ ઢોર બાંધવાના વાડામાં ગુરૂવારની મોડીરાત્રે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ ગ્રામલોકોએ વનવિભાગને કરી હતી. થોડા દિવસો પૂર્વે દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. જેથી, લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ ફરી જીવાપર બામણબોર પંથકમાં દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ગામના લોકો ભયભીત થઈ ગયા હતા.

દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા
જીવા૫રના ખેડૂતોએ દીપડાના ભયને લીધે રાત્રે વાડીએ જવાનું પણ બંધ કરી દીધું હતું. તેવામાં ગુરુવારે મોડી રાત્રિએ વાછરડીનું મારણ થયા અંગે વન વિભાગ તંત્રને જાણ કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડી પાડવામાં આવે તેવી વન વિભાગના અધિકારીઓ સમક્ષ માગ કરવામાં આવી હતી. જે બાદ વિસ્તારમાં પાંજરૂ મૂકવામાં આવતા મોડીરાત્રે દીપડો પાંજરે પૂરાય જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!