GUJARAT

જમીન NA કૌભાંડનો મામલો: દાહોદમાં સામે આવેલા કૌભાંડમાં ભાજપના નેતાઓ સામેલ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માગ કરી – Dahod News


દાહોદમાં નકલી જમીન એન.એ પ્રકરણમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ દર્શાવી આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, આ નકલી જમીન એનએ કૌંભાંડમાં ભાજપના નેતાઓ હોવાના આક્ષેપો સાથે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાન

.

દાહોદમાં ખેતીની જમીનોને બિનખેતીમાં ફેરવી ગરીબ ખેડુતોની જમીનોને બારોબાર પચાવી પાડવાનું મસમોટુ કૌંભાંડ બહાર આવવા પામ્યું છે જેમાં એક્શનમાં આવેલ દાહોદ પોલીસ દ્વારા દાહોદ બી ડિવીઝન અને એ ડિવીઝનમાં અલગ અલગ ફરિયાદો નોંધી કેટલાંક ભુમાફિયાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે દાહોદ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદમાં ખોટી રીતે જમીન એનએ કરી ગરીબોની જમીન ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત પચાવી પાડવાનું કૌંભાંડ બહાર આવ્યું છે જેમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આ મસમોટા કૌંભાંડમાં ભાજપના નેતાઓની પણ સંડોવણી હોવાથી તે દિશામાં પણ તટષ્ઠ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી દાહોદ જિલ્લ કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!