GUJARAT

મસ્જિદ પર JCB ચલાવ્યું: બાપુનગરની મસ્જિદ 100થી વધુ પોલીસ-બંદોબસ્ત સાથે AMCએ તોડી પાડી; ગેરકાયદે બાંધકામોનું લિસ્ટ ડે. કમિશનરને આપીશુંઃ વિપક્ષ – Ahmedabad News


રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ઊંઘેલું તંત્ર જાગ્યું છે અને વિવિધ શહેરોમાં બીયુ પરમિશન વિના અને ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામો અંગેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાં બનેલા ગેરકાયદેસર બાંધકામોને તોડવામાં આવી રહ્યા છે. જેમાં આજે અમદાવાદના બાપુનગ

.

‘R3 ઝોનમાં અનેક ઉદ્યોગપતિઓના ફાર્મ હાઉસ’
આ અંગે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, રખિયાલ પાસે મદની મસ્જિદ આવેલી છે, જે ખાનગી ટ્રસ્ટની પોતાના માલિકીના પ્લોટમાં બનાવવામાં આવેલી છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામના નામે મસ્જિદને તોડવામાં આવી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો આવેલા છે. પૂર્વ ઝોન વિસ્તારમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામો છે. 32 જેટલા ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ છે, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને આપીશું. આવા ગેરકાયદેસર બાંધકામોમાં જેસીબી લઈને અધિકારીઓ તોડવા જતા નથી, પરંતુ મસ્જિદ તોડવામાં આવી રહી છે. R3 ઝોનમાં અનેક ઉદ્યોગપતિઓના ફાર્મ હાઉસ બની ગયા છે, પરંતુ ત્યાં કોઈ પણ IAS અધિકારી જેસીબી લઈ તોડવા જતા નથી.

તંત્રએ ડિમોલિશનની કામગીરીનો વીડિયો બનાવ્યો.

માત્ર નીચેના ભાગની જ બીયુ પરમિશન છે: એસ. એ. પટેલ
તો આ મામલે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ. એ. પટેલે જણાવ્યું હતું કે બાપુનગર વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ હતું જેને આજે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલી મદની મસ્જિદના ઉપરના માળ ગેરકાયદેસર છે. જેની કોઈ બીયુ પરમિશન લેવામાં આવી નહોતી માત્ર નીચેના ભાગની બીયુ પરમિશન લેવામાં આવેલી છે. અવારનવાર ગેરકાયદેસર બાંધકામ મામલે નોટિસ આપવામાં આવેલી છે તેમજ બે વખત સીલ પણ મારવામાં આવી છે તેમ છતાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેથી ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદનો ભાગ તોડવામાં આવ્યો છે.

વિવદને ધ્યાને લઈ તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખ્યો.

વિવદને ધ્યાને લઈ તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખ્યો.

શરૂઆતમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો
બાપુનગર ગરીબ ચાર રસ્તા પાસે આવેલી મદની મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના કારણે તેને અવારનવાર નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેથી ધાર્મિક સ્થળ હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે જેસીબી અને મજૂરો લઈ મસ્જિદને તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. મસ્જિદ તોડવાને લઈને શરૂઆતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ તોડવામાં આવ્યું હતું.

મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પડાયો.

મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પડાયો.

પોલીસે રોડ બંધ કરી કાર્યવાહી કરી.

પોલીસે રોડ બંધ કરી કાર્યવાહી કરી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!