GUJARAT

નીટ પરીક્ષા કૌભાંડની તપાસ વધુ તેજ બની: CBIએ આરોપીઓના મકાનની તપાસ શરુ કરી, પરીક્ષા કેન્દ્રો પર પણ તપાસનો ધમધમાટ – panchmahal (Godhra) News


બહુ ચર્ચિત નીટ પરીક્ષા પાસ કરાવાને મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ હવે CBIની ટીમ દ્વારા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા CBI ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જેને લઈ CBI ટીમ દ્વારા બે પરીક્ષા કેન્દ્રો જય જલારામ શાળા અને થર્મલ ખાતે આવ

.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા શહેરના પરવડી ખાતે આવેલા જય જલારામ સ્કૂલ અને થર્મલ ખાતે આવેલી સ્કૂલમાં સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલમાં સીબીઆઇ દ્વારા જ્યાં નીટની પરીક્ષા જે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ આપી હતી તે ક્લાસરૂમના બેઠક વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની નિરીક્ષણ કર્યું હતું.

ગોધરા અને થર્મલ કેન્દ્રમાં નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર હતા અને નીટની પરીક્ષાની કામગીરીઓમાં સામેલ તમામ કર્મચારીઓની વિગતો પણ માંગી હોવાની વિગતો સાંપડી છે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ O.M.R સીટોને સીલ બંધ કરીને સુરક્ષિત રીતે રવાના કરવાની કામગીરીઓને સી.સી.ટી.વી કેમેરાઓમાં કેદ કરવા માટે જે ઇજારદાર એજન્સીઓને પસંદ કરવામાં આવી હતી. જેની રજેરજ વિગતો સી.બી.આઇની ટીમ દ્વારા એકત્ર કરવાની કાર્યવાહીઓનો પ્રારંભ કરીને નીટ પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડની ખૂટતી કડીઓ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

તુષાર ભટ્ટ અને પુરુષોત્તમ રોયના વડોદરા સ્થિત નિવાસ્થાનોમાં સી.બી.આઈ.નું સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. ગોધરાના નીટ પરીક્ષા ઊંચા મેરીટ સાથે પાસ કરાવવાના બહાર આવેલા કૌભાંડમાં ગોધરા જેલમાં કેદ રહેલા પાંચ પૈકી બે આરોપીઓ જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ અને રોય ઓવરસીઝના સંચાલક પુરુષોત્તમ રોયના વડોદરા સ્થિત રહેણાંક મકાનોમાં પણ સી.બી.આઇ.ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!