અમરેલી

Amreli News: વાઘણીયા ગામે મહિલાની હત્યાના આક્ષેપ દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો


  • દફન વિધિ કરાયેલા મહિલાના મૃતદેહને બહાર કઢાયો
  • મહિલાના સગાઓએ હત્યા કરી હોવાની આપી ફરિયાદ
  • 3 વ્યક્તિઓ પર હત્યા કર્યાનો લગાવ્યો આક્ષેપ

અમરેલીના બગસરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાના મૃત્યુ બાદ તેની દફન વિધિ કરવામાં આવી. જોકે, અંતિમક્રિયાઓ સંપન્ન થયા બાદ પરિવારને મહિલાની હત્યા થયાની આશંકા જતાં પોલીસ ફરિયાદ દાખલ કરીને દફનવિધિ કરવામાં આવેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

મળતી માહિતી મુજબ, અમરેલીના બગસરના જુના વાઘણીયા ગામે દફન વિધિ કરેલ મહિલાના મૃતદેહને બહાર કઢાયો છે. મૃતક મહિલાના સગાઓને દફન વિધિ કર્યા બાદ મહિલાની હત્યા થયાની શંકા જતાં 3 વ્યક્તિઓ પર શંકા હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તો પરિવારે ફરિયાદમાં મહિલાનું મોત ઝેરી દવા પીવાથી નહિ પરંતુ ગળું દબાવી મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. 

મૃતક મહિલાની ફરિયાદને આધારે બગસરા પોલીસે ફરિયાદના આધારે દફનવિધિ કરવામાં આવેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તો, મહિલાના મોતનું કારણ પીએમ બાદ સામે આવશે. પીએમ રિપોર્ટ બાદ બગસરા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. 



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!