ચેઈન સ્નેચિંગનો આરોપી જૂની જેલમાં ખીલ્લા ગળી ગયો: ઓપરેશન કરીને ખીલ્લા કાઢતા કાચના ટુકડા ગળી ગયો, જેલ ઓથોરિટીના કર્મચારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ લગાવ્યો – Ahmedabad News
અમદાવાદના વાડજ પોલીસ મથકે એક ચેઈન સ્નેચિંગના આરોપી સામે IPCની કલમ 379(A)(3) મુજબ ફરિયાદ નોંધાઇ હતી. એક મહિલાએ તેનો સોનાનો દોરો તૂટ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીએ ઘરકામ કરતી મહિલાનો દોરો તોડ્યો હતો. મહિલાની
.
ખીલ્લા બહાર કાઢતા કાચના ટુકડા ગળી ગયો
આ અંગે મેટ્રો કોર્ટમા કેસ દાખલ થયા બાદ તેને સેશન્સ કમિટ કરવામાં આવ્યો હતો. આરોપી હાલ જ્યુડીશિયલ કસ્ટડીમાં અમદાવાદ જૂની જેલ ખાતે બંધ છે. આ કેસ ઉપર આગામી 26 જૂનના રોજ તેના કેસ ઉપર સુનાવણી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી પહેલા ખીલ્લા ગળી ગયો હતો. જેલ ઓથોરિટીએ તેની એન્ડોસ્કોપી કરાવીને ખીલ્લા બહાર કઢાવ્યા હતાં. ત્યારબાદ તેને પરત જેલ લવાતા કાચના ટુકડા ગળી ગયો હતો.
સમાજના ભોગે વ્યક્તિ સ્વાતંત્ર્ય આપી શકાય નહિ
સૂત્રના જણાવ્યા મુજબ આરોપીએ તેમને કહ્યું હતું કે, જેલના કર્મચારીઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી તે જેલમાં બંધ છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, જૂની જેલ ખાતે સામાન્ય ગુન્હામાં પણ લોકો લાંબા સમયથી જેલમાં બંધ છે, ખાસ કરીને વૃદ્ધ લોકો. પરંતુ સૂત્ર દ્વારા જણાવાયેલ આ કેસને બાદ કરતાં એ પણ હકીકત છે કે, ગંભીર ગુન્હેગારો ઉપર દયા દાખવી શકાય નહિ. કોર્ટે પણ અનેક આદેશોમાં નોધ્યું છે કે, સમાજના ભોગે વ્યક્તિ સ્વાતંત્ર્ય આપી શકાય નહિ.