GUJARAT

ખેતરમાં મહાકાય અજગર ઘુસ્યો: સંતરામપુર તાલુકાના બારીકોટા ગામે એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ – Mahisagar (Lunavada) News


મહીસાગર જિલ્લામાં જંગલ વિસ્તાર ચોફેર આવેલો છે. જેના કારણે રહેણાક વિસ્તારોમાં અને ખેતરો સુધી અવારનવાર જંગલી જાનવર આવી ચડતા હોય છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં મહાકાય અજગર ઘૂસી આવ્યો હતો. સંતરામપુર તાલુકાના બારીકોટા ગામે ખેતરમા

.

સંતરામપુર તાલુકાના બારીકોટા ગામ ખાતેથી એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ અજગર એક ખેડૂતના ખેતરમાં ઘૂસી આવ્યો હતો. જેની જાણ ખેડૂતને થતાં ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને કોલ કરી અને જાણ કરવામાં આવી હતી. ખેડૂતનો કોલ મળતા જ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમના સભ્યો ઘટના સ્થળે દોડી આવી અને મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ અજગર અંદાજીત 7 ફૂટ જેટલો લાંબો હતો. અજગરનું ખેતરમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી રહેણાક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!