GUJARAT

રૂ 560ના ટેકાના ભાવે બાજરીની ખરીદી શરુ: સાબરકાંઠામાં ત્રણ કેન્દ્રો પર 1450 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું; 51 દિવસ સુધી ખરીદી થશે – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા જિલ્લામાં ત્રણ કેન્દ્રો પર રૂ 560ના ટેકાના ભાવે ઉનાળું બાજરીની ખરીદી શરુ થઇ ગઈ છે, ત્યારે બજારી વેચવા માટે 1450 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. ત્યારે અગામી 15 જુલાઈ સુધી ખરીદી કરવામાં આવશે.

.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 5400 હેક્ટર ઉનાળું બાજરીનું વાવેતર થયું હતું. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા રૂ 560ના ટેકાના ભાવે બાજરી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં 60, ઇડરમાં 478, વિજયનગરમાં 40, પ્રાંતિજમાં 26, તલોદમાં 818, ખેડબ્રહ્મામાં 15 અને વડાલી તાલુકામાં 13 મળી કુલ 1450 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

ત્યાર બાદ હિંમતનગર, ઇડર અને તલોદ સરકારી ગોડાઉન પર ખરીદી શરુ કરવામાં આવી હતી. 27 મેના રોજથી ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાં 31 મેને શનિવાર સુધીમાં તલોદમાં 20 ખેડૂતોએ 1096.50 ક્વિન્ટલ, હિંમતનગરમાં 29 ખેડૂતોએ 1080.50 ક્વિન્ટલ અને ઇડરમાં 41 ખેડૂતોએ 2058 ક્વિન્ટલ મળી 88 ખેડૂતોએ 4235 ક્વિન્ટલ ખરીદી કરી છે.

આ અંગે સાબરકાંઠા પુરવઠા મામલતદાર વિજય પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં, બાજરી, મકાઈ અને જુવારની ખરીદી શરુ કરી છે. ત્યારે બાજરીની ખરીદી રૂ 560 પ્રતિ વીસ કિલો એ શરુ કરી છે. જે 27 મેથી 15 જુલાઈ સુધી 51 દિવસ ખરીદી થશે. ગત વર્ષે બાજરી 530ના ટેકાના ભાવે 3163 મેટ્રિક ટન રૂ 8 કરોડ 38 લાખની ખરીદી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાં ઋણ 455ના ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા માટે 94 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રૂ 418ના ટેકાના ભાવે મકાઈ વેચવા માટે 36 ખેડૂતોએ રજીસ્ટ્રેશ કરાવ્યું હતું. જ્યારે 696ના ટેકાના ભાવે જુવાર વેચવા માટે 2 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમામને મેસેજ કરવામાં આવ્યા છે પરંતુ ઘઉં, જુવાર અને મકાઈ વેચવા ખેડૂતો આવ્યા નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!