GUJARAT

નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી વિવાદમાં: ધો.10ની વિદ્યાર્થિનીઓને ધો.11માં પ્રવેશ ન આપતા વાલીઓએ મચાવ્યો હોબાળો, બાદમાં સ્કૂલ સત્તાવાળાઓએ પ્રવેશ આપ્યો – Ahmedabad News


અમદાવાદની નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલ અગાઉ સ્કૂલ બંધ કરવા મામલે વિવાદમાં આવી હતી. ત્યારે આજ ફરી એકવાર સ્કૂલ વિવાદમાં આવી છે. કારણ કે, સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિનીઓને ધોરણ 11માં પ્રવેશ ન આપતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

.

સવારે 9થી 5 વાગ્યા દરમિયાન હોબાળો કર્યો
તાજેતરમાં જ ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે. ત્યારે ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિનીઓને ધોરણ 11માં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. સવારે 9થી 5 વાગ્યા દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓએ સ્કૂલના સત્તાવાળાઓને મળીને પોતાની વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપવા માટેનો આગ્રહ રાખ્યો હતો.

વિરોધ કરતા સ્કૂલ સત્તાવાળાઓએ પ્રવેશ આપવાનું કહ્યું
વાલીઓ એકઠા થતા માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે પોલીસ આવી પહોંચી હતી. જોકે બીજી તરફ સ્કૂલ સત્તાવાળાઓએ ધોરણ 10ની વિદ્યાર્થિનીઓના વાલીઓને મંગળવારે પ્રવેશ માટે ઉપસ્થિત રહેવા માટેનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલના સત્તાવાળાઓએ પહેલા પ્રવેશ માટે આનાકાની કરી હતી. જેના પગલે અમે વિરોધ કરતા સ્કૂલ સત્તાવાળાઓએ પ્રવેશ આપવાનું કહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!