અમરેલી

કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો,આંબા પરથી ખરી રહ્યું છે ફલાવરિંગ


  • અનેક બગીચાઓમાં હજુ સુધી 100% ફલાવરિંગ નહી
  • જયાં ફલાવરિંગ થયું તે આંબા પરથી ખરી પડી રહ્યું છે
  • સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા,ઉના ગીરગઢડા,કોડીનાર સહિતના વિસ્તારોમા મોટી સંખ્યામાં કેસર કેરીનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે.જો કે વર્તમાન વર્ષે કેરીને માફક ન હોય તેમ લાગી રહ્યું છે. કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.ખેડૂતોનાં મતે ફલાવરિંગ ત્રણ થી ચાર સ્ટેપમાં થયું છે.એટલું જ નહિ અનેક બગીચાઓમાં 50% ફલાવરિંગ હજુ સુધી થયું નથી.તો મોટા ભાગના બગીચા એવા છે જ્યાં ફલાવરિંગ તો થયું છે પરંતુ આંબા પરથી નાની કેરી નીચે ખરી રહી છે.કૃષિ વૈજ્ઞાનિક રમેશ રાઠોડનું કહેવું છે કે વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર આ માટે જવાબદાર છે. એટલું જ નહિ વર્તમાન વર્ષ પૂરતી ઠંડી ન પડવાના કારણે ફલાવરીંગ ઓછું થયું છે.ઉપરથી કેસરનાં ફલાવરીંગ માં અનેક જીવાતો પણ જોવા મળી છે.

ખેડૂતોને નુકસાન

અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર છે. મોટા બગીચા આવેલા છે. ખેડૂતો કેરીની ઉત્પાદન મેળવી રહ્યાં છે અને સારી કમાણી કરે છે. પરંતુ ચાલુ વર્ષે આંબાના પાકમાં મોર હજુ ખાસ દેખાતા નથી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિના અંતથી જાન્યુઆરી સુધીમાં આંબામાં મોર આવી જાય છે. પરંતુ ચાલુ વર્ષે 20 દિવસ મોડા મોર છે.

અમુક વિસ્તારમાં મોર આવ્યા અમુકમાં બાકી

ચાલુ વર્ષે આંબાના પાકમાં મોર આવવાની સમસ્યા સામે આવી છે અને લગભગ 20 દિવસથી એક મહિના સુધીનો સમય મોર આવવામાં મોડું થયું છે. મુખ્ય કારણ વાતાવરણમાં થતો પલટો હોવાનું સામે આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારમાં આંબામાં મોર આવી ગયા છે. અનેક વિસ્તારોમાં હજુ મોર આવવાના બાકી છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ આંબા

અમરેલી જિલ્લામાં 58,102 હેક્ટરમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, ચલાલા, ખાંભા તાલુકાના મોટાભાગના ખેડૂતો આંબાનું વાવેતર કરી કેસર કેરીની નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ ચાલુ વર્ષે મોર ન આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉત્પાદનને અસર થશે

સામાન્ય રીતે સિઝનમાં આંબાના મોર ત્રણ વખત આવે છે. ઘણી વખત પાંચ વખત પણ આવે છે. મોર આગતર અને પાછતર આવતા હોય છે. ગત વર્ષે ત્રણ વખત મોર આવ્યા હતા. જેના કારણે કેરીની સિઝન લાંબી ચાલી હતી. પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ ખાસ મોર આવ્યા છે. કેટલાક વિસ્તારમાં મોર દેખાઇ રહ્યા છે. સમયસર આંબે મોર ન આવતા ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!